
શા માટે શિવલિંગ પર કરીએ છીએ જળાભિષેક ? તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ...
શ્રાવણ માસમાં મહાદેવની પ્રતિમારૂપી શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે છે. મહાદેવને પ્રિય એવા બિલ્વ પત્ર, આકડો, ધતુરા, દૂધ, મધ, પાણી, વગેરે ચડાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ ચડાવવા પાછળ એક કારણ રહેલું છે. શિવલિંગમાં એક અદભુત ઉર્જા રહેલી હોય છે, જેને કિરણોત્સર્ગી કહેવાય છે. શિવલિંગ કિરણોત્સર્ગી હોવાથી શિવલિંગ પર પાણી ચડવાનું મહત્વ રહેલું છે. આજે આપણે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ જાણીશું..
શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની શિવલિંગ પર જળ, દૂધ, મધ, તલ, બિલ્વ પત્ર વગેરે ચડાવીએ છીએ. વડોદરા શહેરના શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે શિવલિંગ પર આ તમામ વસ્તુઓ ચડાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.આપણે સૌએ શિવલિંગનો આકાર જોયો છે. શિવલિંગના આકાર જેવો જ આપણે ન્યુક્લિયર રિએક્ટર જોઈએ છીએ. એના પાછળ મુખ્ય કારણ એ છે કે જ્યા શિવલિંગ સ્થાપિત હોય છે, તેની આસપાસના વિસ્તારમાં સૌથી વધુ રેડિયેશન જોવા મળે છે. શિવલિંગમાં સૌથી વધુ રેડિયશન હોવાથી હિન્દુ ધર્મમાં તેના પર જળ, દૂધ, મધ, બિલ્વ પત્ર, આંકડો, ધતુરો, વગેરે ચઢાવવાથી તેમાથી ઉત્પન્ન થતી રેડિયશન ઓછી થવાની માન્યતા છે. શિવલિંગ પર ચડાવેલા પાણીમાં એ તરંગો ભળી જાય છે, તે કારણો સર જ તેની ડ્રેનેજ ટ્યુબને ઓળંગવામાં આવતી નથી.
આ પણ વાંચો : શ્રાવણ માસમાં આ સરળ વાસ્તુ ઉપાયોથી ભાગ્યના દરવાજા ખુલશે, મહાદેવ થશે પ્રસંન્ન...
ભારત સહિત ઈન્ડોનેશિયા દેશમાં વારંવાર ધરતીકંપ આવતા હતા.વારંવાર ધરતીકંપ આવવાનું કારણે ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં જે બાદ, શિવલિંગ પર દૂધ, અને પાણી ચઢાવવામાં શરૂ કરતા ત્યાં વારંવાર આવતા ભૂકંપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતનો નકશો જોઈએ તો જોવા મળે કે કેદારનાથથી રામેશ્વરમની વચ્ચે આવતા તમામ શિવ મંદિરો એક જ સીધી રેખામાં બનેલા છે. પહેલાના સમયમાં ટેક્નોલોજીની એટલી શોધ નહોતી થઈ છતાં પણ આજે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. ઉત્તરાખંડનું કેદારનાથ, આંધ્રપ્રદેશનું કલહસ્તી, તેલંગાણામાં કલેશ્વરમ, તમિલનાડુનું એકામ્બરેશ્વર, ચિદમ્બરમ અને છેલ્લે રામેશ્વરમ મંદિરો રેખાંશની ભૌગોલિક સીધી રેખામાં બાંધવામાં આવ્યા છે.
પંચભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વોના આધારે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે. જેમાં ઉજ્જૈનને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે. આશરે 2050 વર્ષ પહેલાં ઉજ્જૈનમાં સૂર્ય અને જ્યોતિષની ગણતરી માટે માનવસર્જિત સાધનો બનાવવામાં આવ્યા હતા.તથા અંગ્રેજ વૈજ્ઞાનિક દ્વારા 100 વર્ષ પહેલાં પૃથ્વી પરની કાલ્પનિક રેખાની રચના કરવામાં આવી ત્યારે તેનો મધ્ય ભાગ ઉજ્જૈનનો હોવાનું બહાર આવ્યું હતું. આજે પણ વૈજ્ઞાનિકો સૂર્ય અને અવકાશની માહિતી માટે ઉજ્જૈનની મુલાકાતે આવતા હોય છે.
આ પણ વાંચો : શ્રાવણ માસમાં આ સરળ વાસ્તુ ઉપાયોથી ભાગ્યના દરવાજા ખુલશે, મહાદેવ થશે પ્રસંન્ન...
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 12 Jyotirling Shiv Mandir in India